Breaking News

આયર્વેદની 15 ટિપ્સ, બનાવશે તમને ‘રોગમુક્ત’ અને ‘સશક્ત’.


આયર્વેદની 15  ટિપ્સ, બનાવશે તમને ‘રોગમુક્ત’ અને ‘સશક્ત’.

           
આપણે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ જો ધ્યાન રાખીએ તો હોસ્પિટલના બિલ ભરવામાંથી બચી શકાય છે. તેના માટે ઘણી એવી બાબતો આયુર્વેદ જણાવે છે જે આમ તો સામાન્ય બાબતો છે. આ બાબતો અપનાવવાથી તમારું શરીર સશક્ત બને છે અને નખમાં પણ રોગ રહેતો નથી.
અહીં પ્રસ્તુત છે 15 એવી વાતો કે જેને અપનાવવાથી તમારું આયુષ્ય અને આરોગ્ય લાંબા કાળ સુધી ટકી રહેશે. શરીરમાં નાની-નાની બીમારી જોવા મળશે નહીં અને મોટી બીમારી ક્યારેય તમારા શરીરમાં પ્રવેશવાની હિમ્મત પણ કરી શકશે નહીં.
આગળ જાણો આયુર્વેદ દ્વારા જણાવેલી એવી સોનેરી આયુર્વેદિક ટિપ્સ….
1- પિત્તનું શમન માટે શયન અર્થાત પૂરી ઊંઘ જ અક્સિર ઈલાજ છે.
2- વાયુના પ્રકોપને રોકવા શરીર પર દિવસમાં એક વાર માલિશ કરાવવું.
3- કફને દૂર કરવા માટે દરરોજ કોગળા કરતી વખતે વમન કરતું રહેવું.
4- સતત તાવ આવ્યા કરતો હોય તો સપ્તાહમાં એકવાર ઉપવાસ જરૂર કરો.
5- દિવસમાં સવારમાં એકવાર એક ચમચી ઘી અને સાંજે અડધી ચમચી મધ લેવાથી પણ આરોગ્ય જળવાઈ રહે છે.
6- દરેક ઔષધીઓ કે દવાઓને જોઈ વિચારીને ઉપયોગ કરવો, ઘણીવાર દવાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે.
7- શેરડી, ટમેટાં, લીમડના પાનનો રસ સપ્તાહમાં એક એક વાર એક કપ જેટલો લેવાથી શરીર દુરસ્ત રહે છે.
8- દૂધ અને દહીં કે છાસ એક સાથે ક્યારેય ન લેવા તેવી રીતે લસણ- ડુંગળી સાથે દૂધ ક્યારેય લેવા નહીં.
9- જ્યારે ભારે ખોરાક લીધો હોય ત્યારે છાસ કે લીંબુનું પાણી મીઠું અને સાકર સાથે ભેળવીને ખાસ પી લેવું જેથી પાચન ક્ષમતા જળવાઈ રહે છે.
10- બેઠાડું જીવનવાળા લોકોએ દરરોજ બેથી ત્રણ કિમી. ઓછામાં ઓછું ચાલવું. જેથી શરીરની સિસ્ટમમાં સમતોલન બન્યું રહે.
11- બધા રોગની જનેતા કબજીયાત છે જેથી તેને નિવારણ માટે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ ખાસ કરવો. રોજ રાત્રે એક ચમચી ત્રિફળા પાણી સાથે લેવાથી વિશેષ ફાયદો થશે અને કબજિયાતની સમસ્યા નહીં રહે.
12-સપ્તાહમાં એકવાર પંચામૃત દહીં, દૂધ, સાકર, મધ, ઘી, તુલસીના પાન મેળવવું તેમાં દહીં વધારે અને દૂધ ઓછું એવી માત્રા રાખવી અને તુલસીના પાન પાંચ-સાત રાખવા, આ રીતે મિશ્રણ તૈયાર કરી પાંચ-સાત ચમચી જેટલું લેવાથી ઘણો લાભ થાય છે.
13- ઋતુગતફળ ખાસ ખાવા. તેમાંથી યોગ્ય વિટામિન અને શરીરને જરૂરી તત્વો પ્રાપ્ત થતાં રહે છે.
14- જો કોઈ સમસ્યા ન હોય તો પણ શતાવરીનું ચૂર્ણ માસમાં 3 વાર લેવાથી શરીરમાં ધાતુચક્રનું સમતોલન જળવાઈ રહે છે.
15- પંદર દિવસમાં બે વાર કઠોળ ખાવા. ખાસ કરીને ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને વિશેષ લાભ થાય છે

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો