Breaking News

CBSE BOARD SSC પરીક્ષા રદ થઈ પણ વિધ્યાર્થીને કેવી રીતે ગુણ મૂકીને પાસ કરશે જાણો

CBSE BOARD SSC પરીક્ષા રદ થઈ 
પણ વિધ્યાર્થીને કેવી રીતે ગુણ મૂકીને પાસ કરશે જાણો 

  • બની શકે ગુજરાત બોર્ડ માં પણ એટલે શિક્ષકો જાણી  લો આ પદ્ધતિ 
  • CBSE BOARD SSC  (સીબીએસઇ) દ્વારા 
  • કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવેલી 
  • 10 મી બોર્ડની પરીક્ષા માટે માર્કિંગ પોલિસી જાહેર કરી છે. 
  • દરેક વિષય માટે માર્ક્સ કેવીરીતે મળશે આવો જાણીએ.

CBSE BOARD દ્વારા જારી કરાયેલા 

  • એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે 
  • કે દરેક વિષય માટે 20 ગુણ 
  • આંતરિક આકારણી દ્વારા આપવામાં આવશે 
  • જ્યારે સત્ર દરમિયાન લેવાયેલી પરીક્ષામાં 
  • મળેલા નંબરોના આધારે 80 ગુણ આપવામાં આવશે.

જો કે, સીબીએસઈ પરીક્ષા નિયંત્રકએ નિર્દેશ આપ્યો છે 

  • કે શાળાઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓએ 
  • 10 માં ની બોર્ડની પરીક્ષામાં આપેલા ગુણ 
  • શાળાના વિદ્યાર્થીઓના અગાઉના પ્રદર્શનને અનુરૂપ છે. 
  • એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે 
  • પરિણામને અંતિમ સ્વરૂપ આપવા માટે 
  • શાળાઓએ આચાર્યની અધ્યક્ષતામાં 
  • આઠ સભ્યોની સમિતિની રચના કરવી પડશે.
  • વિશેષ એ પણ કહ્યું હતું કે મૂલ્યાંકનમાં અયોગ્ય 
  • અને પક્ષપાતી વર્તન કરવા બદલ શાળાઓ 
  • સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 
  • પરીક્ષાના પરીણામ આ વર્ષે જૂનમાં જાહેર કરવામાં આવશે.

CBSE અનુસાર,

1- વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ પ્રત્યેક વિષયના 

  • કુલ 100 ગુણમાંથી 20 ગુણનું હશે. 
  • 80 ગુણ વર્ષ એન્ડ પરીક્ષા માટે નિર્ધારીત હશે. 
  • વિદ્યાર્થીઓએ 20 ગુણ માટે આ ઈન્ટરનલ એસેસમેન્ટ 
  • તેમના સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવશે. 
  • મોટાભાગની સ્કૂલો ઈન્ટરનલ એસેસમેન્ટનો ડેટા 
  • CBSE પોર્ટલ પર અપલોડ કરી ચૂક્યા છે. 
  • બાકીની સ્કૂલોએ પણ કોઈપણ સંજોગોમાં 
  • 11 જૂન 2021 સુધી ઈન્ટરનલ એસેસમેન્ટનો 
  • ડેટા અપલોડ કરી દેવાનો રહેશે.

2- પરીક્ષાઓ રદ્દ થવાના કારણે 

  • બાકીના 80 ગુણનો ડેટા પણ સ્કૂલોએ તૈયાર કરવાનો રહેશે. 
  • તેના માટે સ્કૂલ દ્વારા એક વર્ષ દરમિયાન 
  • આયોજીત કરવામાં આવેલા અલગ-અલગ ટેસ્ટ 
  • પરીક્ષાને આધારે તૈયાર કરાશે. 
  • આ માર્ક્સ સ્કૂલની ગત પરીક્ષાની સમાન હશે.
3-સમિતિ બનશે કોણ કોણ હશે સમિતિમાં 

  • દરેક શાળામાં પરીણામ તૈયાર કરવા માટે એક સમિતિ બનશે 
  • જેમાં સ્કૂલના આચાર્ય 
  • અને 7 શિક્ષકો સામેલ હશે. 
  • આ સમિતિ પરિણામને અંતિમ રૂપ આપશે. 
  • પાંચ શિક્ષક સ્કૂલના અલગ-અલગ 
  • વિષયો(ગણિત, સોશિયલ સાયન્સ અને સાયન્સ અને ભાષા)ના હશે
  • અને બે શિક્ષક નજીકની સ્કૂલના હશે.

4-શું આપવામાં આવશે એ માટે મહેનતાણું 

  • બહારની સ્કૂલના એ સદસ્ય શિક્ષકોને 
  • 2500 રૂપિયા બોર્ડ તરફથી આપવામાં આવશે, 
  • સ્કૂલના શિક્ષકોને 1500 રૂપિયા અપાશે. 
  • તેના માટે બોર્ડ એક પોર્ટલની વ્યવસ્થા કરશે.
  • આ રીતે મળશે પરીક્ષાના 80 ગુણ

  • 1- પીરિઓડિક ટેસ્ટ/ યૂનિટ ટેસ્ટ ---10 ગુણ

  • 2- અર્ધ વાર્ષિક / મિડ ટર્મ પરીક્ષા----30 ગુણ
  • 3- પ્રી બોર્ડ પરીક્ષા -------------------40 ગુણ
  • કુલ ------------------------------------ 80 ગુણ

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો