હોમ
INFO
ધોરણ 9 અને 11ના પરિણામ માટે માસ પ્રમોશનના નવા નિયમો જાણી લો
ધોરણ 9 અને 11ના પરિણામ માટે માસ પ્રમોશનના નવા નિયમો જાણી લો
person Baldevpari
એપ્રિલ 24, 2021
📌શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૦૨૧ માં પ્રથમ પરીક્ષા (૫૦ ગુણ)ની પ્રત્યક્ષ અથવા ઓનલાઈન યોજાયેલ છે જ્યારે દ્વિતીય પરીક્ષા (૫૦ ગુણ) ની અને વાર્ષિક પરીક્ષા (૮૦ ગુણ) યોજાયેલ નથી.ત્યારે 🔎ધોરણ 9 અને 11ના પરિણામ માટે પરિણામ ડાયરેક્ટ બનાવવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો ધોરણ-9 અને 11 માટે પરિણામ બનાવવા માટેની એક્ષ્સેલ સીટ (-સોફ્ટવેર) 📌 માસ પ્રમોશનના નવા નિયમો જાણી લોધોરણ 9 અને 11ના પરિણામ અંગે હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે 📌 ધોરણઃ 9, 11 માં 70 માર્ક્સના આધારે પરિણામ તૈયાર થશે માર્કશીટ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિ-કૃપા ગુણથી અપાશે 📌 ધોરણ-૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓની 50 ગુણની પ્રથમ કસોટી અને ર૦ ગુણ આંતરિક મૂલ્યાંકનના મળીને કુલ 50+20=70 માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. 📌 કૃપા ગુણ પણ મેળવી શકાશે પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે. આચાર્ય 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ આ વર્ષ પૂરતી રદ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે ખૂટતા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે. એટલે કે આચાર્ય ૧૦ ગુણ થી વધુ અને વિદ્યાર્થીને પાસ માટે ખૂટતા હોય તેટલા કૃપા ગુણ આપી શકશે.) આ કૃપા ગુણ પણ વત્તા(+) અલગ ગુણ દર્શાવવાના રહેશે. (દા.ત.૨૮-૫) આવા વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે નહીં. 📌 કેવી રીતે મૂકવાના વિભાગ મુજબ માર્કસ ધોરણ-9 અને ધોરણ-11ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે 💠 ધોરણ-9સામાયિક કસોટીના 10 ગુણ, નોટબુક સબમિશનના 5 ગુણ, સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ એમ કુલ 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. 💠 ધોરણ-11ધોરણ-11 સામાન્ય પ્રવાહ માટે ટર્મ પેપર-સ્વાધ્યાયના 10 ગુણ, પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તકના અવલોકનના 5 ગુણ અને પ્રોજેક્ટ્સના પ ગુણ મળીને 20 ગુણનું ગુણાંકન કરવાનું રહેશે. 💠 ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તરબુનિયાદી પ્રવાહના આંતરિક મૂલ્યાંકન માટે ટર્મ પેપર કુલ-૧/સ્વાધ્યાય કુલ-૧ (૧૦ ગુણ), પુસ્તકાલયમાંથી અભ્યાસના ઉપયોગી એક પુસ્તકનું અવલોકન (૦૫ ગુણ) અને પ્રોજેક્ટસ (૦૫ ગુણ) એમ કુલ આંતરિક મૂલ્યાંકન (૨૦ ગુણ) માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. તે મુજબ આંતરિક મૂલ્યાંકનનું ગુણાંકન કરવાનું રહે 💠 70 ગુણમાંથી મેળવેલા ગુણને 100 ગુણમાં રૂપાંતરિત કરાશે આમ કર્યા બાદ પરિણામ તૈયાર કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીને રૂપાંતરિત થયા બાદ વિષયમાં 33 કરતાં વધુ ગુણ આવે તો તેને પાસ જાહેર કરાશે, પરંતુ 33 કરતાં ઓછા ગુણ હોય તો દરેક ટકાદીઠ 1 ગુણ તેમ વધુમાં વધુ 15 ગુણની મર્યાદામાં રહીને પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે. 💠 નીચે આપેલ પરિપત્ર વાંચી જવો
THANKS TO COMMENT