Breaking News

વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

  • અભિમન્યુ પાંડવ પુત્ર અર્જુન 

  • અને સુભદ્રાનો પુત્ર હતો. 
  • સુભદ્રા એ કૃષ્ણ અને બલરામની બહેન હતી. 
  • એવું કહેવાય છે કે ——- તે 
  • સમયે બધા દેવોએ પૃથ્વીલોક પર પોતાનાં 
  • પુત્રોને અવતારરૂપમાં ધરતી પર મોકલ્યાં હતાં. 
  • પરંતુ ચંદ્રદેવ પોતાનાં પુત્રનો 
  • વિયોગ સહન કરી શક્યાં નહીં. 
  • એટલા માટે તેમણે કહ્યું હતું કે તેમના 
  • પુત્રનો અવતાર ફક્ત ૧૬ વર્ષની 
  • ઉંમરનો જ હોવો જોઈએ !!! 
  • આ પુત્ર એટલે —– અભિમન્યુ !!!

અભિમન્યુના નામ મુજબ 

  • (અભિ = નિર્ભીક, મન્યુ = ગુસ્સો) 
  • અભિમન્યુ નિર્ભીક અને ક્રોધિત પ્રકૃતિવાળો હતો …….
  • અભિમન્યુનો બાલ્યકાળ પોતાનાં નનિહાલ 
  • દ્વારિકામાં વીત્યો હતો. 
  • અભિમન્યુનો વિવાહ વિરાટનગરના 
  • મહારાજા વિરાટની પુત્રી ઉત્તરા સાથે થયો હતો.
  • અભિમન્યુને મરણોપરાંત એક પુત્ર થયો. 
  • જેનું નામ પરીક્ષિત હતું. 
  • આ પરીક્ષિતને પણ એક પુત્ર થયો. 
  • તેનું નામ જનમેજય. 
  • આ જનમેજય એટલે મહાભારતનો છેલ્લો રાજા. 
  • તે ૮૫ વર્ષ જીવ્યો હતો. પાંડવો પછી, 
  • તેમની વંશ આગળ આગળ વધતો ગયો !!!!
  • શસ્ત્રોનું જ્ઞાન અભિમન્યુને પ્રારંભિક 
  • તબક્કામાં ભગવાન કૃષ્ણના 
  • પુત્ર પ્રદ્યુમન દ્વારા આપવામાં આવ્યું હતું. 
  • પછીથી અર્જુને પોતાના પુત્રને 
  • ધનુષ વિદ્યામાં કુશળ બનાવ્યો. 
  • એવું કહેવાય છે કે માત્ર તેમના 
  • જીવન દરમિયાન જ નહીં પણ 
  • આ જગતમાં આવતાં પહેલાં, 
  • અભિમન્યુએ તેમની માતા સુભદ્રાની 
  • ગર્ભાશયમાં યુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

એ ત્યારની વાત છે જયારે 

  • અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહની 
  • કળા વિષે સમજાવતાં હતાં. 
  • તે સમયે અભિમન્યુ સુભદ્રાના ગર્ભાશયમાં હતો 
  • અને તે પિતાજીની બધી વાતો સંભાળતો હતો. 
  • અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહ 
  • વિષે વિગતે સમજાવે છે. એને કઈ રીતે ભેદવો, 
  • કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય. 
  • આ બધી કલાઓ અર્જુન સુભદ્રાને શીખવાડતો હતો !!!

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો