વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ
personBaldevpari
એપ્રિલ 09, 2021
વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ
- અભિમન્યુ પાંડવ પુત્ર અર્જુન
- અને સુભદ્રાનો પુત્ર હતો.
- સુભદ્રા એ કૃષ્ણ અને બલરામની બહેન હતી.
- એવું કહેવાય છે કે ——- તે
- સમયે બધા દેવોએ પૃથ્વીલોક પર પોતાનાં
- પુત્રોને અવતારરૂપમાં ધરતી પર મોકલ્યાં હતાં.
- પરંતુ ચંદ્રદેવ પોતાનાં પુત્રનો
- વિયોગ સહન કરી શક્યાં નહીં.
- એટલા માટે તેમણે કહ્યું હતું કે તેમના
- પુત્રનો અવતાર ફક્ત ૧૬ વર્ષની
- ઉંમરનો જ હોવો જોઈએ !!!
- આ પુત્ર એટલે —– અભિમન્યુ !!!
અભિમન્યુના નામ મુજબ
- (અભિ = નિર્ભીક, મન્યુ = ગુસ્સો)
- અભિમન્યુ નિર્ભીક અને ક્રોધિત પ્રકૃતિવાળો હતો …….
- અભિમન્યુનો બાલ્યકાળ પોતાનાં નનિહાલ
- દ્વારિકામાં વીત્યો હતો.
- અભિમન્યુનો વિવાહ વિરાટનગરના
- મહારાજા વિરાટની પુત્રી ઉત્તરા સાથે થયો હતો.
- અભિમન્યુને મરણોપરાંત એક પુત્ર થયો.
- જેનું નામ પરીક્ષિત હતું.
- આ પરીક્ષિતને પણ એક પુત્ર થયો.
- તેનું નામ જનમેજય.
- આ જનમેજય એટલે મહાભારતનો છેલ્લો રાજા.
- તે ૮૫ વર્ષ જીવ્યો હતો. પાંડવો પછી,
- તેમની વંશ આગળ આગળ વધતો ગયો !!!!
- શસ્ત્રોનું જ્ઞાન અભિમન્યુને પ્રારંભિક
- તબક્કામાં ભગવાન કૃષ્ણના
- પુત્ર પ્રદ્યુમન દ્વારા આપવામાં આવ્યું હતું.
- પછીથી અર્જુને પોતાના પુત્રને
- ધનુષ વિદ્યામાં કુશળ બનાવ્યો.
- એવું કહેવાય છે કે માત્ર તેમના
- જીવન દરમિયાન જ નહીં પણ
- આ જગતમાં આવતાં પહેલાં,
- અભિમન્યુએ તેમની માતા સુભદ્રાની
- ગર્ભાશયમાં યુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
એ ત્યારની વાત છે જયારે
- અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહની
- કળા વિષે સમજાવતાં હતાં.
- તે સમયે અભિમન્યુ સુભદ્રાના ગર્ભાશયમાં હતો
- અને તે પિતાજીની બધી વાતો સંભાળતો હતો.
- અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહ
- વિષે વિગતે સમજાવે છે. એને કઈ રીતે ભેદવો,
- કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય.
- આ બધી કલાઓ અર્જુન સુભદ્રાને શીખવાડતો હતો !!!
THANKS TO COMMENT