👉🏻રાજાને આ જવાબ પસંદ ન પડ્યા કેમ ?
રાજાને આ જવાબ પસંદ ન પડ્યા. એટલે ફરીથી જંગલમાં જવા માટે એણે રાજકુમારને આદેશ આપ્યો. રાજકુમારે ફરી ઘણા દિવસ-રાત જંગલમાં પસાર કર્યા અને એક દિવસ ઉત્સાહથી થનગનતા પાછા ફરીને રાજાને એણે જે સાંભળ્યું હતું એની યાદી આપે છે પરોઢનાં ઝાકળબિંદુ સાથે વૃક્ષનાં પાંદડાંમાં આવી જતી જાગૃતિ, શિયાળાના હૂંફાળા સૂર્યપ્રકાશમાં નહાતી ધરતીનું દુર્લભ સૌંદર્ય, કળીનું ખીલીને ફૂલમાં થતું રૂપાંતર, હજારો પ્રાણી-પક્ષીનાં હૃદયનાં સ્પંદન...👉🏻 રાજાએ ખુશ થયા શા માટે ?
રાજાએ ખુશ થઈને કહ્યું, ‘‘મહાન બનવા માટે જે સાંભળી શકાતું નથી અને સાંભળવું એ જ વ્યક્તિનું શ્રેષ્ઠ પ્રશિક્ષણ છે. ઉત્તમ રાજાએ એની પ્રજાની વણબોલાયેલી આનંદ અને દુ:ખની લાગણી સાંભળવી જોઈએ. મહાસત્તાનું સર્જન ત્યારે થાય છે જ્યારે તમારી આસપાસના છૂપા અવાજને સાંભળો, અને જે રાજા પ્રજાના આવા અવાજ સાંભળી શકે એ જ મહાન શાસક છે.''
👉🏻 સંવેદનશીલ
સ્વ-કેન્દ્રી બનવાને બદલે પરિવારમાં કે કામ-ધંધાના સ્થળે એકબીજાની લાગણી પ્રત્યે સંવેદનશીલ બનવાથી અસરકારક એવું શક્તિદાયક વાતાવરણ સર્જાય છે.
THANKS TO COMMENT