Breaking News

બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ અને યોજના

બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ તૈયાર

બેટી બચાવો બેટી પઢાવો સ્પીચ


દિકરી એટલે… વ્હાલ નો દરિયો, દિકરી એટલે પિતાને મળેલી ઇશ્વર તરફથી મૂલ્યવાન ભેટ છે. જે ફક્ત ઇશ્વર જે સાચવી શકે તેને જ આપે છે એ એટલે દીકરી,બેટી બચાવો બેટી ભણાવો યોજનામાં સરકાર દ્વારા દિકરીઓ ને મફત શિક્ષણ તેમજ તેમના જીવનમાં પરિવર્તન લાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયત વર્ષમાં ઓછામાં ઓછી 12 છોકરીઓનો જન્મ દિવસ ઉજવશે અને પંચાયત તરફથી દરેક દીકરીને તેના જન્મ વખતે પરિવારને ભેટ આપશે.

============================

બેટી બચાવો બેટી પઢાવો

માહિતીજાણકારી
અભિયાન બેટી બચાવો બેટી પઢાવો
કોણ પ્રોત્સાહિત થશે જન્મનાર  દીકરી 
કોનું અભિયાન કેન્દ્ર સરકાર દ્વારા 
સમાજમાં શું ફેર પડે દીકરા જેટલું મહત્વ મળે,
સામાજિક બેલેન્સ સ્ત્રી પુરુષનું જાતિય સંતુલન જળવાય 
WHATSAPP LINKCLICK HERE

=========================

બેટી બચાવો બેટી પઢાવો-યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી

નાનું કુટુંબ સુખી કુટુંબ ના કારણે ઘણા લોકો પેલા પુત્રનો જન્મ થઇ ગયા પછી બિજુ સંતાન ઇચ્છતા નથી. જો પેલા દિકરીનો જન્મ થયો હોય તો બિજી ડીલીવરી કરવા તૈયાર થાય છે, કારણ કે દિકરી તો પારકી થાપણ છે ને. અને વિજ્ઞાનની હરણફાળ પ્રગતિ પછી ભ્રુણમાં જ દીકરો કે દીકરીની તપાસ થવા લાગી અને દીકરીઓની ભ્રુણમાં જ હત્યાઓ થવા લાગી છે. આ હરણફાળ પ્રગતિના કારણે થયેલ ભ્રુણ હત્યા અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે

બેટી બચાવો બેટી પઢાવો-યોજના આ૫ણા માટે ખુબ દુ:ખની વાત 

સંસ્કૃતિ અને ઘર્મ૫રાયણ એવા ભારત દેશમાં સરકારે દિકરીઓને બચાવવા માટે “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન શરૂ કરવાની જરૂર ઉભી થઇ છે એ ૫ણ આ૫ણા માટે ખુબ દુ:ખની વાત કહેવાય.કારણ કે અહી તો નારી તું નરાયણી નો પૂજ્ય ભાવ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે 

બેટી બચાવો બેટી પઢાવો-પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા

બેટી બચાવો બેટી ભણાવો યોજના થકી દીકરીઓ નું શિક્ષણનું સ્તર ઊંચું લાવવું પરંતુ હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે.

આવુ થવા પાછળનાં ઘણા કારણો છે. સૌથી મોટુ કારણ તો જો દિકરો હોય તો માતાપિતાનાં ઘડપણમાં સહારો બનશે. સાચવશે અને તેમની સેવા કરશે. જ્યારે દિકરી હશે તો પરણી ને તે પોતાના સાસરે જતી રહેશે. એટલે આપણા સમાજમાં દિકરાનું વધુ મહત્વ છે. જયારે દિકરી ને પારકી થાપણ કહેવાય છે એવુ અમુક લોકો માની લે છે. દિકરીની પાંખો કાપવાની બદલે એટલી મજબૂત બનાવો કે એને પોતાના રક્ષણ માટે કયારેય કોઈ પુરુષની જરૂર ના પડે.

આપણો દેશ ,સમાજ તમામ ક્ષેત્રોમાં ખુબ જ ઝડ૫થીઆગળ વધી રહયો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે. પરંતુ હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે.

આવુ થવા પાછળનાં ઘણા કારણો છે. સૌથી મોટુ કારણ તો જો દિકરો હોય તો માતાપિતાનાં ઘડપણ ની લાકડી બનશે. સાચવશે. જ્યારે દિકરી હશે તો પરણી ને સાસરે જતી રહેશે. એટલે આપણા સમાજમાં દિકરાનું વધુ મહત્વ છે. એવુ અમુક લોકો માની લે છે.

બેટી બચાવો બેટી પઢાવો-પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા

નાનું કુટુંબ સુખી કુટુંબ નાં સુત્રને ચરિતાર્થ કરતા ઘણા લોકો પેલા પુત્રનો જન્મ થઇ ગયા પછી બિજુ સંતાન ઇચ્છતા નથી. જો પેલા દિકરીનો જન્મ થયો હોય તો બિજી ડીલીવરી કરવા તૈયાર થાય છે. અને વિજ્ઞાનની હરણફાળ પ્રગતિ પછી ભ્રુણમાં જ દીકરો કે દીકરીની તપાસ થવા લાગી અને દીકરીઓની ભ્રુણમાં જ હત્યાઓ થવા લાગી. અને આ બાબતમાં શિક્ષિત લોકો અગ્રેસર છે.

બેટી બચાવો બેટી પઢાવો-સરકારે કર્યો કડક કાયદો 

જો કે સરકારે કડક કાયદો અમલમાં મુકતા આનું પ્રમાણ ઘટ્યુ છે. છતા ક્યાંય ગેરકાયદેસર રીતે આવી પ્રવૃતિ  હજુ ચાલુ છે એવું આપણે વારંવાર ન્યૂઝપેપર માં વાંચીએ છીએ .

સમગ્ર ભારતમાં દીકરીઓની શિક્ષત બનાવવા અને દીકરી ભુણ હત્યા દુર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી દ્વારા ૨૨મી જાન્યુઆરી 2015 ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી છે.

બેટી બચાવો બેટી પઢાવો-પુરૂષોએ દીકરીઓનું પ્રમાણ

હરીયાણા ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે. આ રાજ્યમાં 1000 પુરૂષોએ દીકરીઓનું પ્રમાણ માત્ર 775 (આ પ્રમાણ દર વર્ષે સમગ્ર ભારતમાં બદલતું હોય છે) જેટલું છે જે ખૂબ જ ચિંતાજનક છે. આવા  કારણોસર બેટી બચાવો બેટી પઢાવો યોજનાની શરૂઆત હરિયાણાથી કરવામાં આવી હતી. 

હરિયાણામાં-દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે‘બેટી કી લોહરી’ કાર્યક્રમ  

તેથી આ આંદોલનની શરૂઆત હરિયાણાથી કરવામાં આવી હતી. હરિયાણા સરકાર પણ દીકરીઓની દશા સુધારવા માટે તથા એમને સામાજિક તથા આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે, લોકોમાં જાગૃતતા લાવવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ‘બેટી કી લોહરી’ નામનો કાર્યક્રમ કરે છે.ત્યારબાદ આ યોજનાને ભારત દેશના 100 જેટલા જિલ્લામાં પણ લાગુ કરવામાં આવી હતી. 

સમાજમાં નારી ભૃણહત્યાનું દુષણ ઝડ૫થી પ્રસરી રહયુ છે.આ સમસ્યા ૫ર ગંભીર ચિંતન કરી તેના વિરૂદ્ઘ ઝૂંબેશ ઉઠાવવા આ૫ણે સૌએ સક્રિય થવાની જરૂર છે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ ૫રિસ્થિતિ સર્જશે. શું નારી વિનાની દુનિયાની આ૫ણે કલ્પના ૫ણ કરી શકીશુ ?
ઇ.સ.2011 ની ભારતની રાષ્ટ્રીય વસ્તી ગણતરીના જાતિ પ્રમાણનો આંકડો જોઈએ તો ખ્યાલ આવે છે કે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તેમની સ્તિથિ કેવી છે? આ આંકડા બતાવે છે કે નારી વગરની આવતી કાલ કેવી ભયાનક હશે? ભારતના હરિયાણા રાજ્યમાં દર હજાર પુરુષે સ્ત્રીનું પ્રમાણ માત્ર 879 છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણમાં આ પ્રમાણ 618 છે. જે ખૂબ ચિંતાજનક છે.
ગુજરાતમાં આ પ્રમાણ 919 છે. જે અન્ય રાજ્યો કરતા થોડું સારું છે. સૌથી વધુ જાતિ પ્રમાણ 1084 કેરલ રાજ્યમાં છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સમગ્ર ભારત દેશનું જાતિ પ્રમાણ 943 હતું. 


દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ સંભવિત નથી. માતા, બહેન, ૫ત્ની વગેરે સ્ત્રી સબંઘોની ઓથે જ સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવ ને જન્મ આપી શકે. મૃત ૫દાર્થમાંથી કદી જીવન ન સંભવે. કહેવાય છે કે,
“નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ”

“પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોભ

બેટી બચાવો બેટી પઢાવો-સમાજની ખોટી માન્યતા

સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારો એ જ સ્ત્રી ભૃણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. ”નારી ભૃણ હત્યા ” એ સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક છે.

સરકારશ્રી વિવિઘ યોજનાઓ દ્વારા સ્ત્રીઓને પુરુષ સમાન અઘિકાર આ૫વાના પ્રયત્ન કરી રહી છે. બેટી બચાવો બેટી ૫ઢાઓ યોજના તે પૈકીની એક છે. દેશમાં સતત ઘટી રહેલા કન્યા શિશુ પ્રમાણને સંતુલિત કરવા માટે આ યોજનના શરૂ કરવામાં આવી છે.

 બેટી પઢાવો-ભણાવો 

ભારતમાં પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર ખુબ જ ઓછો છે. આ ૫ણ સ્ત્રીઓના શોષણ એક કારણ છે. તેથી બેટી બચાવો બેટી પઢાવો યોજનાનો મૂખ્ય ઉદ્દેશ કન્યાઓને વઘુમાં વઘુમાં ભણાવવાનો છે.

શિક્ષણના કારણે સ્ત્રીઓનો સામાજિક અને આર્થિક વિકાસ થશે. તેઓ સ્ત્રી ભૃણ હત્યા વિરૂદ્ઘ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે સક્ષમ બનશે. શિક્ષણના કારણે તેઓ આત્મનિર્ભર બનશે.

ભારતની દીકરીઓની વેદનાને વાચા આપવા અને તેમને ભણાવવા માટેના આ કાર્યક્રમને ઘણા લોકોએ વખાણ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ દીકરી પગભર બની શકે અને તે પોતાના અધિકારો મેળવી શકે તે છે. આ યોજનાથી સમગ્ર દેશની દીકરીઓ પોતાને મળતી સેવાઓ અંગે જાણકારી મેળવશે અને આ જાણકારીથી તેમની કાર્યકુશળતા વધશે.

બેટી બચાવો બેટી પઢાવો-સમાજની ખોટી માન્યતા

વસ્તી ગણતરી ને જોઈએ તો 0 થી 6 વર્ષની દીકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દરેક સમાજ દીકરીઓ પ્રત્યે તિરસ્કારની ભાવના દર્શાવી રહ્યો છે.

કોઇ ૫ણ દેશના માનવીય સંસાઘનના રૂ૫માં સ્ત્રી અને પુરુષનું મહત્વ એક સમાન છે. સ્ત્રી અને પુરૂષ એ સંસારરૂપી રથના બે ૫ૈડા છે. કોઇ ૫ણ એક ૫ૈડુ ન હોય તો રથ યોગ્ય રીતે ચાલી શકે નહી.

ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને સર્મ૫ણનું વિશેષ મહત્વ છે. દિકરી માતાપિતાનું ઘર છોડી ૫તિના ઘરને પોતાનું ઘર બનાવી લે. જેને થોડો સમય ૫હેલા ઓળખતી ૫ણ ન હતી એવા સાસુ-સસરાને માતા-પિતા ગણી તેમની સેવા કરે છે. પારકાને પોતાના ગણવાની ભાવના માત્ર દિકરીમાં જ જોવા મળે છે.

પોતાના ઘરમાં દિવો કરે તે દિકરો અને બીજાના ઘરમાં દિવો કરે તે દિકરી. દિકરો એક કુળ તારે છે. જયારે દિકરી તો ત્રણ કુળ તારે છે. દિકરી પિતાનું, મામાનુ તેમજ ૫તિનું એમ ત્રણ કુળની લાજ રાખે છે. નારી તો ખરેખર નારાયણી છે.

બેટી બચાવો બેટી પઢાવો-પુરૂષ પ્રઘાન દેશ દિકરી પ્રત્યે ઉદાસીન વલણ

આ૫ણો દેશ પુરૂષ પ્રઘાન દેશ છે. હિન્દૂ ઘર્મમાં એવી માન્યતા પ્રર્વર્તે છે કે પુત્ર એ પુન નામના નર્કમાંથી બચાવે છે. જેથી દરેક હિન્દૂ પુરુષ પુન નામના નર્કમાંથી છુટવાની ઇચ્છા ઘરાવે છે તુથી એ પુત્રની ઝંખના સેવે છે. આમ તે દિકરી પ્રત્યે ઉદાસીન વલણ દાખવે છે. માત્ર પૂત્ર પાપ્તિની આવી ઘેલછાના કારણે આજે દેશમાં એવી ૫રિસ્થિતિનું નિર્માણ થયુ છે કે સરકારે સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા તથા તેમના સ્ત્રી શિક્ષણનો વ્યા૫ વઘારવા માટે વિવિઘ યોજનાઓ બનાવવાની જરૂરી ઉભી થઇ છે.

કેટલાક લોકોના મનમાં એવી માનસિકતાએ ઘર કરી ગઇ છે કે દિકરી તો પારકુ ઘન ગણાય. જો દીકરો હશે તો મોટો થઇને તેમની સેવા કરશે. આવી સંકુચિત માનસિકતા જ સ્ત્રી ભૃણહત્યા માટે જવાબદાર છે.

માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વમાં નારીને પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી. તેની સાથે ભેદભાવ પૂર્વક વર્તન કરવામાં આવે છે એક સમાન કામ માટે સ્ત્રીને પુરુષ કરતાં ઓછુ વેતન આ૫વામાં આવે છે. ઉંચા ૫દો, સેના વિગેરેમાં સ્ત્રીઓને સ્થાન આ૫વામાં આવતું નથી.

જોકે અત્યારની ૫રિસ્થિતિમાં થોડોક સુઘાર આવ્યો છે. વિવિધ યોજનાઓ અને સરકારના અથાગ પ્રયત્નોથી આજે સ્ત્રીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત થયું છે, આજે ભારત દેશમાં સ્ત્રીઓ વિવિઘ ઉંચા ૫દો ૫ર બિરાજમાન છે જે આ૫ણા માટે ગૌરવની વાત છે.

ભારતની ભોમનો ભવ્ય ભૂતકાળ સ્ત્રી નો પણ રહ્યો છે 

આ ભારતની ભોમ છે જયાં ,સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લઇ આવી હતી. આ એ જ દેશ છે, જેમાં સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા જેવી દીકરી અંતરિક્ષમાં પણ ઉડાન ભરી ચૂકી છે. આ એ જ દેશ છે, જેમાં શિલા દીક્ષીત, વસુંધરા રાજે, મમતા બેનરજી, જય લલિતા, આનંદીબેન પટેલ વગેરે મુખ્યમંત્રી,અને રાજ્યપાલ તથા ઇન્દિરા ગાંધી જેવા વડા પ્રધાન તથા પ્રતિભાદેવી પાટીલ,દ્રૌપદી મુર્મુ જેવા રાષ્ટ્રપતિ બનનાર મહિલાઓ છે.

પી.ટી. ઉષા અને એમ. સી. મેરીકોમ, સાનિયા મિર્ઝા તથા મિતાલી રાજ જેવી મહિલા ખેલાડીઓ સમગ્ર વિશ્વમાં પોતાનું તથા ભારતનું નામ ઉજાગર કરી રહી છે. આવા ભવ્ય ભૂતકાળનો વારસો અને સંસ્કારિતતા ધરાવતા દેશને કયું ગ્રહણ લાગી ગયું છે કે આજે તે આ નારી શક્તિનો ભોગ લેવા મંડી પડ્યો છે; તેને ભાર સમજવા લાગ્યો છે; તેને ધરતી પર અવતરવામાં અવરોધ ઊભો કરી રહ્યો છે; તેની સાથે પક્ષપાત કરતો કરી રહ્યો છે..

બેટી બચાવો- દાયકાઓ-ભ્રુણહત્યા

છેલ્લા કેટલાક દાયકાઓથી જોઈએ તો દીકરીઓનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. જે વિજ્ઞાન આપણાં માટે વરદાનરૂપ સાબિત થવું જોઈએ તે દીકરીઓના જન્મની બાબતમાં અભિશાપ બન્યું હોય તેવું લાગે છે. હોસ્પિટલમાં આધુનિક સોનોગ્રાફી મશીનોને કારણે માતાના ગર્ભમાં જ ભ્રુણનું પરીક્ષણ કરવામાં આવે છે અને જો તે સ્ત્રી હોય તો તેની ભ્રુણહત્યા કરી દેવામાં આવે છે. આવું પાપ છેલ્લા કેટલાય દાયકાઓથી આચરવામાં આવી રહ્યું છે.

જોકે સરકારે આને ગેરકાયદેસર જાહેર કર્યું છે અને લિંગ પરીક્ષણ કરવું એ ગુનો છે છતાં કેટલાક તબીબો તથા માતપિતા આ દુરાચાર કરવા પ્રેરાય છે. જેને કારણે આજે સ્ત્રીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. સમાજમાં રહેલા લૈંગિક ભેદભાવને કારણે આ પ્રથા અસ્તિત્વમાં આવી છે. જો આવુને આવું જ ચાલતું રહ્યું તો સંસારનું ચક્ર કેવી રીતે ચાલશે? વહુ ક્યાથી આવશે? જો વહુ જોઈએ છે તો દીકરીને જન્મ આપવો જ પડશે.

જો વહુ નોકરી કરતી, ભણેલી ગણેલી જોઈતી હશે તો તેને શિક્ષણ આપવું જ પડશે. જો નારી શક્તિ નહીં રહે તો આ સૃષ્ટિ પર જન્મદાતા કોણ બનશે? આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે?

બેટી બચાવો બેટી પઢાવો-સંકલ્પ

આપણે સંકલ્પ લઈએ કે દીકરી દીકરો એક સમાન ગણી સમાજમાં મોભાનું સ્થાન અને માન આપીશુ. બેટી હૈ તો કલ હૈ ઓર દરેક સમસ્યા કા હલ હે .

યોજનાનો લાભ વહાલી દીકરી યોજના 

PPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPP
  • વહાલી દીકરી યોજના થકી દીકરીને રૂ. 1,10, 000 ની સહાય આપવામાં આવે છે 
  • જેમાં દીકરીના જન્મ થી લઈને તેના લગ્ન સુઘીમાં આપવામાં આવે છે.
  • દિકરી ધો. 1 માં પ્રવેશે છે ત્યારે રૂ. 4000,
  • ધો.9 માં પ્રવેશે છે ત્યારે રૂ. 6000
  • દિકરી 18 વર્ષની ઉંમર થાય ત્યારે 1,00,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો