Breaking News

ધોરણ 10,12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ જાહેર

ધોરણ 10,12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ જાહેર 
કઈ તારીખે યોજાશે પરીક્ષા 
ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. 
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે, એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યું છે.

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માગ
વિશે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ આધારે લેવાશે.

ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું.

તો અમને પણ આપો માસ પ્રમોશન
4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માગ
અમદાવાદમાં વિદ્યાર્થીઓ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું
તાજેતરમાં 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે. હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યા. આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.

રિપીટર વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ પરીક્ષાનો વિરોધ કર્યો હતો.

પરીક્ષા આપવા જતા રિપીટર વિદ્યાર્થીઓને પણ કોરોના થઈ શકેઃ વાલીમંડળ
અગાઉ વાલીમંડળે જણાવ્યું હતું કે મહામારીના સમયમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો વિચાર આવકારદાયક છે, પણ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. 
રિપીટર વિદ્યાર્થીઓ પણ સામાન્ય બાળકો છે, રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવાં કુમળાં છે. કોરોનાને લઈ ઊભી થયેલી શૈક્ષણિક તકલીફોનો ભોગ બન્યાં છે. પછી એ ઓનલાઈન હોય કે ઓફલાઈન, પણ બધા જ વિદ્યાર્થીઓએ એને ફેસ કર્યું છે. આવા સમયમાં મારી માગ પણ રહી છે કે બધાં જ બાળકોને માસ પ્રમોશન આપવામાં આવે. જોકે સરકારે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યું છે ત્યારે મારે કહેવું છે કે કોરોના પરીક્ષા આપવા જતા રિપીટર વિદ્યાર્થીઓને પણ થઈ શકે છે. હું અપીલ કરું છું સરકારને કે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી માનસિક તણાવમુક્ત કરે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો